ચાલતી પટ્ટી

" દારૂ બંધી નો કડક કાયદો બનાવવા માટે ઠાકોર સેના ને કોટી કોટી પ્રણામ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા સમિતિ આપનુ હાર્દિક સ્વાગત કરે છે."

ઠાકોર સમાજનું ગૌરવ

ક્ષત્રિયના મુખ્ય ત્રણ વંશ છે.
૧. સૂર્યવંશ ૨. ચન્દ્રવંશ ૩અગ્નીવંશ સુર્યવંશ સૂર્યવંશમાં પ્રથમ ઇક્ષ્વાકુ થયા. જેમની રાજધાની અયોધ્યા નગરી હતી. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. પુરાણ આદિ અધ્યયનથી જાણવા મળે છે કે , બ્રહ્માથી મરીચ , મરીચથી કશ્યપ, કશ્યપથી સૂર્ય, સૂર્યથી વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુએ અયોધ્યા નગરી વસાવી અને તેમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ અયોધ્યા ના પ્રથમ રાજા થયા. આજ ઇક્ષ્વાકુ રાજાથી સૂર્યવંશની ઉત્પતિ થઈ . સૂર્યવંશ રાજાઓની વંશાવળી આ મુજબ છે. મનુ , ઇક્ષ્વાકુ , વિકુક્ષિ , પરંજય, અનેના , પૃથુ , કૃષદશ્વ , અન્ધ્ર , યુવનાશ્વ , શ્રાવસ્ત , વૃદિશ્વ , કુવલાયાશ્વ , દ્ઢાશ્વ , પ્રમોઢ , હર્યશ્વ , નિકુમ્ભ , સન્હતાશ્વ , કૃશાશ્વ , પ્રસેનજિત , યુવનાશ્વ , માન્દ્યાતા , પુરુકુત્સ , સદસ્યુ , સમ્ભન , અનરણ્ય , ત્રસદશ્વ , હર્યશ્વ , વસુમાન , ત્રિધન્વા , ત્રખ્યારૂણિ , સત્યવૃત , હરિશ્ચન્દ્ર , રોહિતાશ્વ , હરિત , ચંચુ , વિજય , રુરુક , વૃક , વાહુ , સગર , અસમંજસ , અંસુમાન , દિલીપ , ભગીરથ , શ્રુત , નાભગ , અમ્બરીષ , સિન્ધુદ્વીપ , અયુત્રાયુ , ઋતુપર્ણ , સર્વકામ , સુદાસ , સોદાસ , અશ્મક , મૂલક , દશરથ , એદવિદ , વિશ્વસહ , દિલીપ , રઘુ , અજ , દસરથ , રામચન્દ્ર , કુશ , અતિથિ , નિષધ , નળ , નભ , પુણ્ડરીક , ક્ષેમધન્ધ , દેવાનીક , પારિયાગ , દલ , બલ , દત્ક , વૃજનામ , શંયાણ , ધ્યુપિતાશ્ન , વિશ્વસહ , હિરણ્યનામ , પુષ્ય , ધૃવ , સન્ધિ , સુદર્શન , અગ્નિવર્ણ , શીર્ઘ્ર , મરુ , પ્રસુશ્રુત , સુસન્ધિ , અમર્ષ , સહસ્વાન , વિશ્ષભન , બૃહદવલ , બ્રહદ્રર્થ , ઉરુક્ષય , વત્સવ્યૂહ , પ્રતિવ્યોમ , દિવાકર , સહદેવ , વૃહદશ્વ , ભાનુરથ , પ્રતીતીશ્વ , સુપ્રતીક , મરુદેવ , સુનક્ષ , કિન્નણ , અંતરિક્ષ . સુપર્પ્પ , અભિત્રજિત , વૃહદ્રાજ , ધર્મી , કૃતંજય , રંણજય , સંજય , શાક્ય , શુદ્ધોધન , સિદ્ધાર્થ , રાહુલ , પ્રસેનજિત , ક્ષુદ્રક , કુણ્ડક , સુરથ , સમિત્ર . ઉપરોકત માન મુખ્ય -૨ સૂર્યવંશી રાજાઓના છે. કારણ કે મનુથી રામ સુધી ફકત ચોસઠ રાજાઓના નામો મળ્યા છે. જો કે આ એક ખુબજ લાંબો સમય છે. જેથી બધાજ રાજાઓના નામો મળવા અસંભવ છે. દશરથજી ના ચાર પુત્રો શ્રીરામ , લક્ષ્મણ , ભરત તથા શત્રુઘ્ન થયા. આ ચારેય ભાઇઓના બે –બે પુત્રો થયા. શ્રીરામ ના લવ અને કુશ , લક્ષ્મણ ના અંગદ અને ચન્દ્રકેતુ ,ભરત ના તક્ષક અને પંષ્કલ , શત્રુઘ્ન ના સુવાહુ અને બહુશ્રુત થયા. આ વંશમાં આ ઉપરાંત ઘણા બધા રાજાઓના નામ ભાગવત અને પુરાણોમાં છે. પરંતુ એ નામો વિસ્તાર થવાના ભયથી છોડી દેવામાં આવ્યા છે. ચન્દ્રવંશ ચન્દ્રવંશીય ક્ષત્રિય બ્રહ્મા ના બીજા પુત્ર અત્રિના સંતાન છે. મહર્ષિ અત્રિ ના ધર્મપત્ની અનસુઈયા ના સૌથી મોટા પુત્ર સોમ યાની ચન્દ્ર હતા. સોમ ના વંશ હોવાના કારણે સોમવંશ અથવા ચન્દ્રવંશ કહેવાયા. સોમ અથવા ચન્દ્રનો પુત્ર હતો . જેને પોતાની રાજધાની પ્રતિષ્ઠાનપુર બનાવી .બુધનો પુત્ર પુરુરવા હતો. જેનાથી આયુ, આયુથી નહુષૂ , નહુષૂથી યયાતિ થયા. યયાતિને બે પત્નીઓ હતી. એક શર્મિષ્ઠા તથા બીજી દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી.રાણી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર દહ્લુ (dahlu) પુરુ તથા અનુ થયા. રાણી દેવયાનીથી યુદુ તથા દુર્વસુ થયા . ચન્દ્રવંશી નરેશોની નામાવલી આ પ્રકારે છે. અત્રિ , સોમ યા ચન્દ્ર , બુધ , પુરુરવા , આયુ , પુરુ , જનમેજય , પ્રચિન્વાન , પ્રવીર , મનસયુ , અભયદ , સુધૂ , બહુગત , સંયાતિ , અહંયોતિ , રૌદ્રાશ્ષ , ઋતેપુ , મતનાર , તસુ , એલીન , દુષ્યંત , ભરત , મન્યુ , વૃહખમ , સુહોત્ર , હસ્તી , અજમીઢ , ઋણ , સંવરણ , કુરુ , જન્હૂ , જનમેજય સુરથ , વિદુરથ , સાર્વભૌમ , જયત્સે , આરાધિત , આયુતાયુ , અક્રોધન , દેવાતિથિ , ઋક્ષ , ભીમસેન , દિલીપ , પ્રતીપ , શાંતનુ , વિચિત્રવિર્ય , પાણ્ડુ , યુધિષ્ઠિર , પરિક્ષિત , જનમેજય , શતાનિક , સહસ્માનિક , અશ્વમેઘ , દત , અધિસીશકૃષ , નિચક્ષુ , ઉષ્ણ , ચિત્રરથ , સુચિરથ , વૃષ્ણિભાન , સુષેણ , યુનીથ , રુચ , નૃયક્ષુ , સુખીવલ , પરિપ્લવ , સુનય , મેઘાવી , નૃપુજય , મૃદ , તિગ્મ , વૃહદરથ , વસુદાન , શતીનિક , ઉદયન , વહીનર , દણ્ડપાણિ , નિરામિ , ક્ષેમક . શાંતનુની પહેલી રાણી ગંગાથી દેવવ્રત ભીષ્મ તથા બીજી રાણી સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય થયા . ચિત્રાંગદથી ધ્રુતરાષ્ટ તથા વિચિત્રવિર્યથી પાણ્ડુ ઉત્ત્પન્ન થયા , ધૃતરાષ્ટ ના દુર્યોધન વિગેરે ૧૦૦ પુત્ર તથા પાણ્ડુથી કર્ણ , યુધિષ્ઠિર , અર્જુન , ભીમ , નકુલ , સહદેવ વિગેર થયા, યુધિષ્ઠિરની રાણી દેવિકાથી યોદ્ધેય , દ્રોપદીથી પ્રતિવિમ્વ , સુતસોમ , શ્રુતકીર્તિ , શતાનિક , શ્રુતકર્માનો જન્મ થયો . અર્જુનની રાણી સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુથી પરીક્ષિતનો જન્મ થયો અગ્નીવંશ क्षत्रत्किल त्रयत इत्युद्र क्षत्रस्य शब्दों भुवनेषु रुढ: राज्मेन किं कદ્વિपरीत वृते : प्राणैरुप कोशमलिन सर्वा: અર્થાત વિશ્વને આંતરિક અને બાહ્ય અત્યાચારો જેવા કે , શોષણ , ભૂખ , અજ્ઞાન , અનૈતિકતા , અનાચાર તથા શત્રુ (દુશ્મન) દ્વારા પહોંચાડવામાં આવેલી જન-ધનના નુકશાનથી બચાવવાવાળો ક્ષત્રિય જ છે. આનાથી અલગ કાર્ય કરવાવાળો ક્ષત્રિય ના હોઈ શકે અને ના તે શાસન કરવા માટે અધિકારો ધરાવી શકે . પવાર અથવા પરમાર , ચૌહાણ અથવા ચાહમાન , ચાલુક્ય અથવા સોલંકી તથા પ્રતિહાર –પઢિયાર આ ચાર વંશો ને ઇતિહાસકારો અગ્નિવંશીય માને છે. ચન્દ્ર વરદાયીનો મત છે કે જ્યારે પરશુરામે પૃથ્વીને ૨૧ વાર ક્ષત્રિય શૂન્ય કરી દીધી હતી ત્યારે રાક્ષસોએ ઋષિઓને સતાવવાનું શરુ કરી દીધુ હતું . આવા સમયે વશિષ્ઠ વિગેરે ઋષિયોએ આબુ પર્વત યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાથના કરી કે અમારી રક્ષા માટે એક શક્તિશાળી જાતિ ઉત્ત્પન્ન કરવામાં આવે . આમ થયા પછી આ યજ્ઞમાંથી ચાર અતિ શક્તિશાળી પુરુષો પેદા થયા .જેમણે પોતાના નામોથી ૪ (ચાર) વંશ ચાલુ કર્યા. કવિ ધનપાલે ‘તિલક મંજરી’માં , ‘અવુલફ જન્મ આઈને-એ-અકબરીમાં , કવિ યોધરાજે ‘હમ્મીર રાસો’ માં તથા કવિ પદમગુપ્તે ‘નવ સાહસિક ચરિત્ર’ માં આ વિષે પુષ્ઠિ કરી છે. આ મત માનવાવાળા કહે છે કે જ્યાં આ યજ્ઞ થયો હતો ત્યાં ‘ક્ષત્રિય અભિયંત્ર ‘ મઠ હતો . આથી આ યજ્ઞમાંથી ઉત્તપન્ન થયેલા પુરુષો અગ્નિવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાયા. દા.ત. જેવી રીતે મહાભારતમાં વર્ણિત દ્રૌપદી , ધૃષ્ટધુમ તથા અંગીર ઋષિ વગેરેની ઉત્પત્તિ પણ અગ્નિકુંડમાંથી થઈ છે. જયારે દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રચારકોએ અહિંસાનો પ્રચાર શરુ કર્યો તો તેનો લાભ વિદેશીયોએ ઉઠાવ્યો. હર્ષવર્ધન પછી દેશ નાના નાના રજવાડાઓમાં વિભાજિત થઈ ગયો. ત્યારે વિદેશીયોએ આ રજવાડાઓ ઉપર આક્રમણ કરવાનું શરુ કર્યું . આથી દેશમાં તબાહી મચી ગઈ . આ સમયે ‘વશિષ્ટ પીઠ ‘ ના કોઇ ઋષિએ ક્ષત્રિયોનો એક સંઘ બનાયો અને તે સંઘે વિદેશી આક્રમણકારોને ભગાડી દિધા તથા ફરીથી દેશમાં શાંતિની સ્થાપના કરી. ઉપરોકત ચાર વંશ કે જે અગ્નિવંશ કહેવાય છે , તે આ સંઘમાં સામેલ થયા. ભવિષ્ય પુરાણમાં એવુ વર્ણન આવે છે કે જે સમયે બૌધ્ધ અને જૈન ધર્મોનો પુર્ણત: વિકાસ થયો તે સમયે વૈદિક ધર્મ નષ્ટ થવા લાગ્યો. આથી કાલ્પ- કુબ્જ બ્રાહ્મણોએ વેદવિધિથી અગ્નિ કુણ્ડ તૈયાર કરી , વૈદિક મંત્રોથી હવન કુણ્ડ માં ‘બ્રહ્મ હોમ’ નામનો યજ્ઞ કર્યો હતો અને ઉપરોકત ચારેય વંશો તેમાંથી દીક્ષિત થયા હતા. ભિન્ન- ભિન્ન ઇતિહાસકારોના મતાનુસાર ક્ષત્રિયોના વંશોનું વિવરણ આ પ્રકારે છે. મહાકવિ કાલ્હણએ ‘રાજ તરંગીણી’માં ક્ષત્રિયોના ૩૬ વંશોની વિસ્તૃત ચર્ચા કરી છે. ‘પૃથ્વીરાજ રાસો’માં વર્ણન છે કે, वंश क्षत्रिय गनीजे भारी, च्वार कुली कुल तीन , सव सु जात जोनी भग ...ए ब्रह्मा अविशेष विसिष्पिए રવિ શશિ જાદવ વંશ , કુકુસ્થ પરમાર સદાકર ચાહુવાન ચાલુક્ય , છંદ સિલાર આમીયર દોયમત મકવાન , ગરુજ ગોહિલ ગોહિલપુત્ર ચાપોત્કટ પરિહાર , રાવ રાઠૌર શેસજુત દેવશ વંક સૈનવ અગ્નિ , યોતિક પ્રતિહાર દુધિષટ કારટટપાલ કોરપાલ હંએ , હરિતટ ગૌર કલાવમદ ધન્ય પાલક નિકુમ્ભ વર , રાજપાલ કીવ નીસ કાલ છરક્કે આદિ હૈ વરને વંશ છત્તીસ . ઉપરોકત પદ્યનુ વિશ્લેષણ કરતાં લખવામાં આવ્યું છે કે , રવિ ,શશિ અને જાદવ (યાદવ) વંશ નુ તો પુરાણોમાં વર્ણન છે પરંતુ તેમની ૩૬ શાખાઓ છે. આ સુચિમાં વર્ણિત વંશ શેસજુત , અનંગ , યોતિકા , દુધિષટ , કારટટપાલ , કોરપાલ , હરિતટ , કલાવમદ , ધાન્યપાલ , રાજપાલ આદિ આજકાલ મળતા નથી . આ કાં તો વિલુપ્ત થઈ ગયા છે. અથવા તો પછી સ્થળ અને વ્યકતિ થી પ્રભાવિત થઈ ને બીજ અલગ નામોથી ઓળખાય છે. છતીસ કુળની યાદી મતીરામના અનુસાર નીચે મુજબ છે. -- સૂર્યવંશ , પેલવાર , રાઠોડ , લોહથમ , રઘુવંશી , કછવાહા , સિરમૌર , ગહલૌત , વઘેલ ( વાઘેલા) , કરબા , સિરનેત , વૈસ , નિકુમ્ભ , કૌશિક , ચન્દેલ , યદુવંશ , માહિ , ત્રેમર , વનાકર , કાકન , હરિહોવંશ , ગહરવાર , કરમવાર , રૈકવર , ભદૌરીયા , શકરવાર , ગૌર , દાક્ષિત , બગ્વલિયા, વિશ્વેન , ગૌતમ , સેંગર , ઉદવાકિયા , ચૌહાણ , પડિહાર અને સુલંકી . કઈ ઇતિહાસકારો દ્વ્રારા પ્રકાશિત થયેલ વંશાવલી થી સંશોધન કરેલ ૩૬ કુળની યાદી નીચે મુજબ છે:- “दस रविसे चन्द्रसे द्वादस ऋषि प्रमाण “ ”चार हुतासन यज्ञ से यह छतीस कुल जान “ ૧. સૂર્યવંશ : શાખાઓ –વિશેન વંશ , દોનવાર વંશ , રઘુવંશી , લૌહથમ (લોહતમિયા). ૨. ગ્રહલોત અથવા ગહલોત અથવા ગહલૌત –ગેહલોત શાખાઓ – ગોહિલ , સિસોદિયા , મહથાન , ચમિયાલ , કડિયાર અથવા મડિઔર ,ભોંસલા . ગોરખાવંશ , સિન્ધિયા . ૩. નિકુમ્ભ: શાખાઓ – શ્રીનેત અથવા સિરનેત , નરવની અથવા નરૌની , કટહરિયા . ૪. નાગવંશ: શાખાઓ – કર્કોટક (કાશ્મીર માં) , તક્ષક (પંજાબ તથા કાશ્મીરમાં) , ટાંક વંશ (પંજાબમાં) , પંચકર્પટ વંશ (પંજાબમાં) . ૫. યાદુ (યાદવ વંશ ) : શાખાઓ –યદુવંશ , ભાટીવંશ , હૈહય વંશ ,જાડેચા(જાડેજા) , કલચુરી વંશ યા કલચુરીયા વંશ ૬. રાઠૌર યા રાઠોડ વંશ : શાખાઓ – રૈકવર , જાયસ , કૈલવાડ , સૂરવાર , દહિયા , મહરૌડ (મહારાઉલ) . ૭. ચહુવાન યા ચૌહાણ વંશ : શાખાઓ – હરડા , ખીંચી , ગોપલવાલ , ભદોરીયા , સિરોહી , રાજકુમાર . ૮. ગૌતમ વંશ : શાખાઓ – મૌર્યવંશ , કુણ્ડવાર યા કણ્ડવાર , ગૌતમિયા , ગોનિહા , અણ્ટૈયા . ૯. કછવાહા વંશ : શાખાઓ – નરવર , કછવાહા , શેખાવટી યા શેખાવત . ૧૦. પરમાર વંશ : શાખાઓ – ચાવડ યા ચાવગ , ડોડ (ડોડા) ઉજ્જૈન , ગન્ધવરીયા, માલવીયા , ઢેકહા, ભુઆલ , ૧૧. પ્રતિહાર યા પરિહાર વંશ : શાખાઓ – ભુતહા , મલહજની . ૧૨. ચલુક યા ચાલુક્ય યા સોલંકી વંશ : શાખાઓ – બઘેલ(વાઘેલા) , ભરસુરીયા , તાતિયા , યા ટેટિહર , ભાલેસુલાન , કાકનવંશ . ૧૩. વૈસ વંશ : (રાજા વાસુ ના વંશરાજ વૈસ કહેવાયા) શાખાઓ – કોટવાહર વૈસ , કઠ વૈસ , ડોડિયા વૈસ , ત્રિલોકચન્દી વૈસ , પ્રતિષ્ઠાપુરી(પ્રયાગ). ૧૪. ગૌડ વંશ : શાખાઓ – વૃહ્ન ગૌડ , ચમરગૌડ , ભટટગૌડ , ગૌડહર , અમેઠિયા. ૧૫. વડગૂજર વંશ : શાખાઓ –સિકરવાર . ૧૬. દીક્ષિત વંશ : શાખાઓ – નેવતની, દુર્ગવંશી , વિલખરિયા , કિનવાર . ૧૭. તંવર યા તોમર વંશ : શાખાઓ – રુણેચા , વેરુઆર , રૈકવાલ યા રૈકવર , રવાતિ , વિલદારિયા . ૧૮. સોમવાલ યા ચન્દેલ વંશ : શાખાઓ – ચમરકટે વંશ , મોહવિએ યા મહોવિયા વંશ. ૧૯. સિંગર વંશ : શાખાઓ – બરહયિયા . ૨૦. ગહરવાર વંશ : શાખાઓ –કર્મવાર , વુન્દેલા , માણ્ડા , ડૈયા. ૨૧. જિટ વંશ . ૨૨. સિલાર યા સુલાર વંશ ૨૩. વનાકર વંશ . ૨૪. ચાવડા વંશ . ૨૫. ડોડ યા ડોડા વંશ ૨૬. સોમવંશી યા ચન્દ્રવંશી : શાખાઓ – પુરુવંશ , કુરુવંશ , હરિદ્વાર ક્ષત્રિય વંશ , કૌશિક વંશ , જનવાર વંશ , પલવાર યા પાલીવાલ ભૃગુવંશ . ૨૭. દહિમા વંશ : શાખાઓ – પુણ્ડીર વંશ . ૨૮. દહિયા વંશ : શાખાઓ – સિરોહી વંશ . ૨૯. કાવ વંશ. ૩૦. બડવાલિયા વંશ. ૩૧. ઉદય વાલિયા વંશ . ૩૨. કોટપાલ વંશ . ૩૩. રાજપાલ વંશ . ૩૪. ધાન્યપાલ વંશ . ૩૫. રોસ જુત વંશ . ૩૬. અનંગ વંશ . આ યાદીમાં વર્ણિત કાવા , બડવાલિયા , ઉદય વાલિયા રાજપાલ , કોટપાલ , ધાન્યપાલ , રોસ જુત વંશ જિટ , સિલાર , અનંગ વંશ હાલમાં નથી મળતા .આ વંશોની વંશાવલી અથવા રિયાસતોનું વર્ણન અપ્રાપ્ય છે. ચન્દ્રવંશના ઘણા બધા વંશોનું વિવરણ મલતું નથી. ક્ષત્રિયો ની ઉપાધિયો: યા પદવીયો : ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ , ભૂપતિ , મહીપ , મહીપતિ , રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ , મહારાજ , મહારાજાધિરાજ , સમ્રાટ , ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા. રાજાઓથી નાના સરદારોને સામંત , જાગીરદાર , જમીનદાર , કિલ્લેદાર , તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર , રાજકુંવર , રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ કહેવાતો . ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે. શાખ્યવંશી હોવાના કારણે જ શાક્યસિન્હ લખવામાં આવ્યું છે. તેમના પછી ઉજ્જૈન ના પરમાર રાજા વિક્રમાદિત્ય ના મંત્રી અમરસિન્હ કે જેઓએ ‘અમર કોષ’ની રચના કરી હતી તેમનું નામ પણ મળે છે. તે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે થયા હતા. તેમના પછી મહારાજા રૂદ્ર સિન્હ નું નામ આવે છે. તેમનો સમય સને ૧૮૧ થી ૧૯૬ સુધી હતો. તે પછી માળવાના પરમાર રાજાઓમાં , મેવાડના ગહેલોત નરેશોં માં બારમી સદીમાં અનેક નામ મળે છે. આ પછી સિંહ શબ્દ નો પ્રચલન બધા ક્ષત્રિયોમાં થઇ જાય છે. बिछडे बन्धु પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા છે. જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાય છે.આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યાં. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પરંતુ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. આ ઉપરાંત કેટલાક રાજપૂતોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો છે. અને કેટલાક વંશોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે. બાબરએ જયચન્દ અને તેના પુત્ર ત્રિલોક ને મુસલમાન બનાવી દીધા તથા તેનુ નામ તાતારખાં રાખવામાં આવ્યું હતું.